RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
RBIએ ઓપન માર્કેટ ઓપરેશન (OMO) હેઠળ ₹50,000 કરોડની સરકારી સિક્યોરિટીઝ વેચાણની સંપૂર્ણ રકમ સ્વીકારી છે. બેન્કિંગ સિસ્ટમમાં વધેલી લિક્વિડિટી ઘટાડવા માટે કેન્દ્રીય બેન્કે આ પગલું લીધું છે.

બેન્કિંગ સિસ્ટમમાં વધતી લિક્વિડિટી વચ્ચે ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ મોટું પગલું લીધું છે. RBIએ ઓપન માર્કેટ ઓપરેશન (OMO) હેઠળ જાહેર કરેલી ₹50,000 કરોડની સરકારી સિક્યોરિટીઝ વેચાણ પ્રક્રિયામાં સંપૂર્ણ રકમની બિડ સ્વીકારી છે. આ કાર્યવાહીનો હેતુ બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડને શોષવાનો છે. RBIએ છ અલગ અલગ ભારત સરકારની સિક્યોરિટીઝના વેચાણ માટે કુલ ₹50,000 કરોડની રકમ જાહેર કરી હતી. હરાજીના પરિણામો મુજબ, સમગ્ર નોટિફાઇડ રકમ માટે બિડ સ્વીકારવામાં આવી છે.
વિદેશી નાણાંના પ્રવાહથી વધી લિક્વિડિટી
RBIનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિદેશી ચલણના પ્રવાહને કારણે બેન્કિંગ સિસ્ટમમાં રોકડની ઉપલબ્ધતા વધી છે. 31 ઓગસ્ટ સુધી FCNR(B) ડિપોઝિટ દ્વારા 127.23 અબજ ડોલરનો પ્રવાહ આવ્યો હતો. FCNR(B), Overseas Foreign Currency Borrowings અને External Commercial Borrowings સહિત કુલ પ્રવાહ 136.38 અબજ ડોલર રહ્યો હતો.
OMO દ્વારા કેવી રીતે ઘટે છે બજારની રોકડ?
ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ RBI પોતાની પાસે રહેલી સરકારી સિક્યોરિટીઝ બજારમાં વેચે છે. આ પ્રક્રિયામાં બેન્કો અને અન્ય રોકાણકારો પાસેથી નાણાં RBI પાસે જાય છે, જેના કારણે નાણાકીય સિસ્ટમમાં ઉપલબ્ધ વધારાની લિક્વિડિટી ઘટે છે.
આ પણ વાંચો: ભારતીય શેરબજારમાં અનોખો દિવસઃ એક સાથે છ કંપનીઓનું લિસ્ટિંગ, ચારનું પોઝિટિવ એકનું ફ્લેટ
કઈ સિક્યોરિટીઝ માટે કેટલી બિડ સ્વીકારાઈ?
RBIએ ગુરુવારની હરાજીમાં 8.28% Government Security 2032 માટે સૌથી વધુ ₹18,840 કરોડની રકમ સ્વીકારી હતી. આ પછી 5.77% Government Security 2030 માટે ₹12,645 કરોડની બિડ સ્વીકારવામાં આવી હતી. હરાજીમાં સ્વીકારેલી યીલ્ડ 6.6007% થી 7.0090% વચ્ચે રહી હતી.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
- UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
- શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
- ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

