પર્વતીય યાત્રાધામોમાં 47 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો રોપ-વેનો લાભ
2025-26 દરમિયાન ગુજરાતના ત્રણ મુખ્ય યાત્રાધામ રોપ-વેનો કુલ 47.32 લાખથી વધુ લોકોએ લાભ લીધો. પાવાગઢ રોપ-વે પર સૌથી વધુ 23.43 લાખથી વધુ મુસાફરો નોંધાયા.

ગુજરાતના ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે આવેલા યાત્રાધામો સુધી પહોંચવા 2025-26 દરમિયાન કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો ઉપયોગ કર્યો છે. તેમાં સૌથી વધુ 23.43 લાખથી વધુ મુસાફરો પાવાગઢમાં નોંધાયા, જ્યારે અંબાજીમાં 15.58 લાખથી વધુ અને ગિરનારમાં 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેનો લાભ લીધો.
પાવાગઢ રોપ-વે સૌથી વધુ વ્યસ્ત
ત્રણેય યાત્રાધામોમાં પાવાગઢ રોપ-વેનો સૌથી વધુ ઉપયોગ થયો. વર્ષ દરમિયાન 23.43 લાખથી વધુ પ્રવાસીઓ અને યાત્રાળુઓએ અહીં રોપ-વે સેવા લીધી. અંબાજી રોપ-વેમાં 15.58 લાખથી વધુ મુસાફરો નોંધાયા, જ્યારે ગિરનાર રોપ-વેનો 8.31 લાખથી વધુ લોકોએ લાભ લીધો.
ગિરનાર રોપ-વે 2.12 કિમી લાંબો
જૂનાગઢનો ગિરનાર રોપ-વે 2.12 કિલોમીટર લાંબો છે અને વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક ગણાય છે. તે પર્વત પર 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી યાત્રાળુઓને પહોંચાડે છે. ગિરનાર રોપ-વેમાં 31 કેબિન છે અને તેની પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે. રોપ-વે દ્વારા અંબાજી મંદિર સુધીની મુસાફરી લગભગ 9 મિનિટમાં પૂર્ણ થાય છે.
વડીલો અને દિવ્યાંગો માટે પણ સરળ બન્યું
ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી પહોંચવા આશરે 5,000 પગથિયાં ચઢવા પડે છે. રોપ-વેની સુવિધાથી વડીલો, બાળકો અને દિવ્યાંગ યાત્રાળુઓ માટે પર્વતીય યાત્રાધામ સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે. ત્રણેય રોપ-વે ગિરનાર, પાવાગઢ અને અંબાજી જેવા મહત્વના ધાર્મિક સ્થળો સુધી ઝડપી જોડાણ પૂરું પાડે છે.

Advertisement by KuberaNow
Market
See more- PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
- Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
- સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
- ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
